Monday, November 27, 2006

પણ હોઈ શકે !

કોણે કીધું દુઃખની ભાષા રુદન છે
એ મારું હસવું પણ હોઇ શકે ..
'નભ-ધરા' તમારા માટે કવિતાના શબ્દો છે,
કોઈકનું તે 'ઘર' પણ હોઈ શકે !

સવાર ઊગે છે ને સાંજ ઢળે છે,
અત્યંત સ્વાભાવિક આ દિવસ છે
કોઈકને ઝૂરતી આંખો કંઈક બોલે છે
તેને માટે તે આખું વર્ષ પણ હોઈ શકે !

લખવો ને બોલવો સહેલો છે
અઢી અક્ષરનો એ શબ્દ છે
જરા એને દિલમાં ઉતારી જોજે
કદાચ કેટલીય જિંદગીઓ
એમાં સમેટાયેલી પણ હોઈ શકે?

તે ભાગે છે, પેલો દોડે છે
શું બસ આ જ જિંદગી છે..
આવી જાય હાથમાં ત્યારે આંખ ઉઘાડજે
કદાચ એ તારું સપનું પણ હોઈ શકે !

7 comments:

Anonymous said...

સરસ રચના...

yr ID is added at my page...
http://amitpisavadiya.wordpress.com/gujarati-blog-world/

Anonymous said...

Very nice....
you have a very good imagination!

Anonymous said...

કોણે કીધું દુઃખની ભાષા રુદન છે
એ મારું હસવું પણ હોઇ શકે ..
'નભ-ધરા' તમારા માટે કવિતાના શબ્દો છે,
કોઈકનું તે 'ઘર' પણ હોઈ શકે !
beautiful thought straight from heart.
hiral

Anonymous said...

કોણે કીધું દુઃખની ભાષા રુદન છે
એ મારું હસવું પણ હોઇ શકે ..
'નભ-ધરા' તમારા માટે કવિતાના શબ્દો છે,
કોઈકનું તે 'ઘર' પણ હોઈ શકે !
beautiful thought straight from heart.
hiral

Anonymous said...

Saras

ghanu saras lakho chho

Abhinandan

...* Chetu *... said...

very nice....hasy ni pachhal pan rudan chhupayelu hoy chhe..

TARUN SHAH said...

આ ખરેખર કોઈ ટિપ્પણી નથી. પરંતુ તમ સરિખા સાહિત્યકારો અને ભાવકો સુધી પહોંચવાનો બીજો કોઈ મારગડો ના મળતા કોચવતા મને પણ હિમ્મત કરીને સમાચાર પારેવડાને આંયા ઉડાડયા છે, બાપલા...ખમ્મા કરજો ને કાંય ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખજો મારા વાલા.......!
ઠીક ત્યારે..... લ્યો રામ રામ........ !
પણ આ મારા હેત નોતરાને જાળવી લેજો હોં ને..... !



આનંદ સાથે આપને જણાવવાનું કે "સાહિત્યસેતુ ડોટ કોમ" વેબસાઇટ કાર્યરત થઈ ગઈ છે.
http://sahityasetu.com/ સાહિત્યકારો માટેની એક વિશેષ વેબસાઈટને નિહાળવા આપને મારું અંતરનું આમંત્રણ છે.
જે જે સાહિત્યકાર મિત્રોએ વિગતો મોકલી છે તે મૂકી છે, બીજા જે મિત્રોની વિગતો મળતી જાય છે તે તૈયાર થઈ રહી છે. તમે પણ તમારી તમામ વિગતો તાત્કાલિક મોકલી આપશો જેથી અમો તેને પણ આ વેબસાઇટમાં સમાવી શકીએ.
અપ્રકાશિત રચનાઓને રજૂ કરી લોકો સુધી પહોંચાડવાનું તથા પ્રકાશિત પુસ્તકોને વધુ લોકો સુધી પ્રસારિત કરવાનું એક સરળ માધ્યમ છે "સાહિત્યસેતુ ડોટ કોમ". સાહિત્ય સાથે સાહિત્યકારોને દીર્ઘ-સ્મરણીય બનાવતો આ એક પરિવારિક પ્રયત્ન જ નહીં પણ એક યજ્ઞ છે; જેમાં તમારાં સહકારની ખૂબ જ અપેક્ષા છે.
http://sahityasetu.com/
અહીં રજીસ્ટ્રેશન કરાવનાર સાહિત્યકારોને જાતે પોતાનું પેઇઝ અપડેટ કરવાની વ્યવસ્થા આપવામાં આવશે; જેમાં તેઓ પોતાની રચનાઓને વિવિધ કેટેગરીમાં મૂકી શકશે, પોતાના પ્રકાશીત પુસ્તકોની વિગતો મૂકી શકશે.
http://sahityasetu.com/ દ્વારા પુસ્તકોને વિશેષ વાચકવર્ગ અને તે થકી વિશાળ બઝાર મળે તે માટેનાં પ્રયત્નો થશે.