Friday, December 01, 2006

હાર



બ્રશથી દોરવા જાઉં છું
પણ કાળો રંગ લાલ થઈ જાય
એ પીળા સૂરજમુખીમાં
ઓરેન્જ કલર કેમ વધારે પડી જાય?

કલમ શું પાડે શબ્દો આડા-અવળા
ખુદ અક્ષરો અર્થમાં ગૂંચવાઈ જાય..
ને મારી પંક્તિઓ ખારી થઈ વહી જાય !

ફાનસનું અજવાળું તો મેં મૂક્યું હતું
તોય પોટ્રેઈટ સ્ત્રીઓનું કેમ અંધારામાં છે ?
વ્હાઈટ કલરની ટ્યુબો ઘસાઈ ગઈ બધી
છતાંય આ ઘરેણાં ઝાંખા પડી જાય ...

સાથ ના આપે મિત્રો મારા
નક્કી કંઈક વાંધો પડ્યો છે,

ઓલા શબ્દોને કલમથી
ને કલર્સને બ્રશથી
નહીં તો..
આટલી જલ્દીથી મેહુલ
હાર ના માની જાય !

6 comments:

अफ़लातून said...

મેહુલ ભાઈ,
હારવૂ સ્વીકાર .હાર માની લેવૂ,અસ્વીકાર.

nilam doshi said...

ફાનસનું અજવાળુ તો મે મૂકયુ હતું....


ખૂબ સરસ.અભિનન્દન

નીલમ દોશી.

http://paramujas.wordpress.com

Unknown said...

fanas na ajvala ma sundarta vadhare khile chhe. zaakha prakash ma, koi man..na vichar to nayi jani sakene...!!!!

Anonymous said...

સાથ ના આપે મિત્રો મારા
નક્કી કંઈક વાંધો પડ્યો છે,
ઓલા શબ્દોને કલમથી
ને કલર્સને બ્રશથી
નહીં તો..
આટલી જલ્દીથી મેહુલ
હાર ના માની જાય !
Sundar Rachna !

TARUN SHAH said...

આ ખરેખર કોઈ ટિપ્પણી નથી. પરંતુ તમ સરિખા સાહિત્યકારો અને ભાવકો સુધી પહોંચવાનો બીજો કોઈ મારગડો ના મળતા કોચવતા મને પણ હિમ્મત કરીને સમાચાર પારેવડાને આંયા ઉડાડયા છે, બાપલા...ખમ્મા કરજો ને કાંય ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખજો મારા વાલા.......!
ઠીક ત્યારે..... લ્યો રામ રામ........ !
પણ આ મારા હેત નોતરાને જાળવી લેજો હોં ને..... !



આનંદ સાથે આપને જણાવવાનું કે "સાહિત્યસેતુ ડોટ કોમ" વેબસાઇટ કાર્યરત થઈ ગઈ છે.
http://sahityasetu.com/ સાહિત્યકારો માટેની એક વિશેષ વેબસાઈટને નિહાળવા આપને મારું અંતરનું આમંત્રણ છે.
જે જે સાહિત્યકાર મિત્રોએ વિગતો મોકલી છે તે મૂકી છે, બીજા જે મિત્રોની વિગતો મળતી જાય છે તે તૈયાર થઈ રહી છે. તમે પણ તમારી તમામ વિગતો તાત્કાલિક મોકલી આપશો જેથી અમો તેને પણ આ વેબસાઇટમાં સમાવી શકીએ.
અપ્રકાશિત રચનાઓને રજૂ કરી લોકો સુધી પહોંચાડવાનું તથા પ્રકાશિત પુસ્તકોને વધુ લોકો સુધી પ્રસારિત કરવાનું એક સરળ માધ્યમ છે "સાહિત્યસેતુ ડોટ કોમ". સાહિત્ય સાથે સાહિત્યકારોને દીર્ઘ-સ્મરણીય બનાવતો આ એક પરિવારિક પ્રયત્ન જ નહીં પણ એક યજ્ઞ છે; જેમાં તમારાં સહકારની ખૂબ જ અપેક્ષા છે.
http://sahityasetu.com/
અહીં રજીસ્ટ્રેશન કરાવનાર સાહિત્યકારોને જાતે પોતાનું પેઇઝ અપડેટ કરવાની વ્યવસ્થા આપવામાં આવશે; જેમાં તેઓ પોતાની રચનાઓને વિવિધ કેટેગરીમાં મૂકી શકશે, પોતાના પ્રકાશીત પુસ્તકોની વિગતો મૂકી શકશે.
http://sahityasetu.com/ દ્વારા પુસ્તકોને વિશેષ વાચકવર્ગ અને તે થકી વિશાળ બઝાર મળે તે માટેનાં પ્રયત્નો થશે.


Flopptalk said...

SAD
https://www.flopptalk.com/2018/10/dowry-system.html